પી.એમ. જન ધન યોજનાએ લોકોને પોતાનું નસીબ લખવાની શક્તિ આપી: મોદી

The PM Jan Dhan Yojana

નવી દિલ્હી, 28 ઑગસ્ટ (પીટીઆઇ) પી.એમ. જન ધન યોજના 11 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ યોજનાએ લોકોને પોતાનું નસીબ ઘડવાની શક્તિ આપી છે અને જ્યારે છેલ્લો માણસ પણ આર્થિક રીતે જોડાય છે ત્યારે આખો દેશ એકસાથે આગળ વધે છે.

પી.એમ. જન ધન યોજના, જે 28 ઑગસ્ટ 2014ના રોજ શરૂ થઈ હતી, આર્થિક સમાવીશન માટેનું રાષ્ટ્રીય મિશન છે. તેનો હેતુ દેશના દરેક ઘરને વ્યાપક નાણાકીય સેવાઓ સાથે જોડવાનો છે.

આ યોજનાના મુખ્ય મુદ્દા:

  1. દરેક ઘરમાં ઓછામાં ઓછું એક મૂળભૂત બેંક ખાતું
  2. નાણાકીય સાક્ષરતા
  3. કેડિટ સુધી પહોંચ
  4. વીમા અને પેન્શનની સુવિધા.

એકસ (X) પરની પોસ્ટમાં મોદી લખે છે, “જ્યારે છેલ્લો માણસ આર્થિક રીતે જોડાય છે ત્યારે આખો દેશ એક સાથે આગળ વધે છે. એ જ પી.એમ. જન ધન યોજનાએ હાંસલ કર્યું. તેણે લોકોની ગૌરવમાં વૃદ્ધિ કરી અને પોતાના નસીબ લખવાની શક્તિ આપી.”

વડાપ્રધાને બીજી પોસ્ટમાં MyGovનો સંદેશ શેર કર્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જન ધન યોજનાએ કેવી રીતે સમગ્ર ભારતમાં જીવન પરિવર્તિત કર્યા.

‘MyGov’ની પોસ્ટમાં લખ્યું હતું, “ગણિતના સૂત્રો નહીં, ભારતના વિકાસના સૂત્રો. ભારતની નાણાકીય ક્રાંતિ એક વિચારથી સંચાલિત છે: નવીનતા દ્વારા સમાવેશ. છેલ્લી માઈલ બેંકિંગથી લઈને મહિલા સશક્તિકરણ સુધી, પારદર્શક ડીબિટી ટ્રાન્સફરથી લઈને શાસન પર વિશ્વાસ સુધી, પી.એમ. જન ધન યોજનાએ ભારતમાં બેંકિંગ, બચત અને વિકાસ કરવાની રીત બદલી દીધી છે.”

બીજી પોસ્ટમાં લખ્યું હતું, “11 વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વચન આપ્યું હતું કે કોઈપણ ગરીબ પરિવાર બેંકિંગની દુનિયાથી બહાર નહીં રહે. જન ધન ફક્ત ખાતાં ખોલવા વિશે નહોતું, તે માતાને ગૌરવ સાથે બચત કરવાની તક આપવા, ખેડૂતને દલાલ વિના સહાયતા મળે તે સુનિશ્ચિત કરવા અને ગામવાસીને દેશના વિકાસનો ભાગ હોવાનો અનુભવ કરાવવાનો વિષય હતો.”

“વડાપ્રધાન મોદીના વિઝને નાણાકીય સમાવેશને હકીકતમાં ફેરવી દીધું, દરેક ઘરમાં આશા અને દરેક જીવનમાં આત્મવિશ્વાસ લાવ્યો.”

વર્ગ: તાજા સમાચાર

SEO ટૅગ્સ: #swadesi, #News, પી.એમ. જન ધન યોજનાએ લોકોને પોતાનું નસીબ લખવાની શક્તિ આપી: મોદી