વેટરન બંગાળી અભિનેત્રી બસંતી ચટર્જીનું અવસાન

કોલકાતા, 13 ઑગસ્ટ (પિટીઆઈ) – વેટરન બંગાળી અભિનેત્રી બસંતી ચટર્જીનું મંગળવાર રાત્રે તેમના ઘરે અવસાન થયું, તેમ તેમના પરિવારજનોે જણાવ્યું.

તેમની ઉંમર 88 વર્ષ હતી.

ચટર્જી લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમને હોસ્પિટલના આઈસીસીયુમાં મહિના સુધી રાખવામાં આવ્યા હતા, બાદમાં ડૉક્ટરોએ આ તબક્કે તેમને નર્સોની દેખરેખ હેઠળ ઘરે રાખવાની સલાહ આપ્યા પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, તેમ પશ્ચિમ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ્સ ફોરમના પ્રવક્તાએ જણાવ્યું.

પાંચ દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં, ચટર્જીએ ‘ઠગિણી’, ‘મંજરિ ઓપેરા’ અને ‘આલો’ જેવી પ્રશંસિત અને લોકપ્રિય ફિલ્મો સહિત 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેમણે ‘ભૂતુ’, ‘બોરોન’, ‘દુર્ગા દુર્ગેશ્વરી’ જેવા લોકપ્રિય ટીવી સીરિયલ્સમાં પણ અભિનય કર્યો હતો.

તેમનો છેલ્લો ટેલિવિઝન દેખાવ ‘ગિતા એલએલબી’ સીરિયલમાં હતો, જેના શૂટિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા.

યુવાનીમાં તેઓ રંગભૂમિ પર પણ સક્રિય રહ્યા હતા.

તેમના અવસાન પર શોક વ્યક્ત કરતાં અભિનેતા ભાસ્વર ચટર્જીએ કહ્યું, “તેમને છેલ્લા ઘણા દિવસોથી ખૂબ શારીરિક પીડા થઈ રહી હતી.” તેમણે કહ્યું કે તબિયત ખરાબ હોવા છતાં અને વધેલી ઉંમરે પણ તેમનો અભિનય અપ્રતિમ હતો.