અમદાવાદ પ્લેન ક્રેશ: 135 મૃતદેહોની ઓળખ, 101 શરીરો પરિવારજનોને સોપાયા

અમદાવાદ પ્લેન ક્રેશ
Ahmedabad: Bereaved family members of Christian Rachnaben Rozar and Christian Rozar David, victims of the Air India plane crash, during their last rites outside their residence at Chandkheda, in Ahmedabad, Gujarat, Sunday, June 15, 2025. The London-bound Air India flight, a Boeing 787 Dreamliner (AI 171) with 242 people on board, crashed into a medical hostel and its canteen complex in the Meghaninagar area on Thursday afternoon, moments after taking off from the Sardar Vallabhbhai Patel International Airport. (PTI Photo/Kunal Patil) (PTI06_15_2025_000318B)

અમદાવાદ, 17 જૂન (PTI)
અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના વિમાન અકસ્માતમાં 270 લોકોના મૃત્યુ થયાના પાંચ દિવસ બાદ અત્યારસુધીમાં 135 મૃતદેહોની ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ કરવામાં આવી છે અને 101 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, એવી માહિતી અધિકારીઓએ મંગળવારે આપી.

ઘણાં મૃતદેહો પુરી રીતે સળગેલા કે કથળેલા હોવાથી ઓળખ શક્ય નહોતી, તેથી ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યા છે.

“મંગળવારની સવારે સુધીમાં 135 ડીએનએના નમૂનાઓ મેળ ખાતા હતા અને 101 મૃતદેહો તેમના સંબંધીઓને સોંપી દેવામાં આવ્યા છે. જેમાંથી પાંચ વ્યક્તિઓ ફ્લાઈટમાં નહોતી,” એમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું.

સોપાયેલા 101 મૃતકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન અને દમણ-દીવના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

જોશીએ અગાઉ આશા વ્યક્ત કરી હતી કે બધી ડીએનએ તપાસ મંગળવાર સાંજ સુધી કે બુધવારની સવારે સુધીમાં પૂર્ણ થઈ જશે.

12 જૂનના દિવસે બપોરે 1:39 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી ઉડાન ભર્યા પછી થોડા જ સમયમાં એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રિમલાઇનર વિમાન અમદાવાદના એક મેડિકલ કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું હતું.

આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાંથી 241 લોકોના મૃત્યુ થયા હતા અને માત્ર એક મુસાફર અદ્ભૂત રીતે બચી ગયો હતો. આ દુર્ઘટનામાં જમીન પર રહેલા 29 લોકો પણ મોતને ભેટ્યા હતા, જેમાં પાંચ એમબીબીએસ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.