પીએમ મોદીએ રશિયામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી

In this photo taken from video released by Russian Far Eastern Transport Prosecutor's Office on Thursday, July 24, 2025, a view of the place of the crashed Russian An-24 passenger plane of the Siberia-based Angara Airlines while carrying 49 passengers in 15 kilometers (9 miles) south of Tynda, Far Eastern Amur region of Russia. AP/PTI(AP07_24_2025_000560B)

નવી દિલ્હી, જુલાઈ 24 (પટીઆઈ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયામાં વિમાન દુર્ઘટનામાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ભારત રશિયા અને ત્યાંના લોકો સાથે એકતામાં ઊભું છે. રશિયાના ફાર ઈસ્ટ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એક પેસેન્જર પ્લેનમાં સવાર તમામ 48 મુસાફરો અને ક્રૂના સભ્યોનાં મોત થયા છે, એમ અમૂર પ્રદેશના વડાએ એક નિવેદનમાં ગુરુવારે જણાવ્યું હતું.

મોદીએ X પર લખ્યું હતું, “રશિયામાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાન ઘટના અંગે ખૂબ દુઃખ થયું છે. પીડિત પરિવારોને દિલથી શોક સંવેદના પાઠવીએ છીએ. અમે રશિયા અને ત્યાંના નાગરિકો સાથે એકતામાં ઊભા છીએ.”