
નવી દિલ્હી, જુલાઈ 24 (પટીઆઈ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયામાં વિમાન દુર્ઘટનામાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ભારત રશિયા અને ત્યાંના લોકો સાથે એકતામાં ઊભું છે. રશિયાના ફાર ઈસ્ટ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એક પેસેન્જર પ્લેનમાં સવાર તમામ 48 મુસાફરો અને ક્રૂના સભ્યોનાં મોત થયા છે, એમ અમૂર પ્રદેશના વડાએ એક નિવેદનમાં ગુરુવારે જણાવ્યું હતું.
મોદીએ X પર લખ્યું હતું, “રશિયામાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાન ઘટના અંગે ખૂબ દુઃખ થયું છે. પીડિત પરિવારોને દિલથી શોક સંવેદના પાઠવીએ છીએ. અમે રશિયા અને ત્યાંના નાગરિકો સાથે એકતામાં ઊભા છીએ.”
